અમદાવાદમાં બુલેટ ટ્રેનનું કામ જોરો-સોરો થી કામ ચાલી

 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતીથી વટવા સુધી સેગમેન્ટ અને પાઈલોટિંગ લગાવવાની કામગીરી અંતર્ગત મણિનગર રેલ્વે ક્રોસિંગ ફાટક પાસે ટ્રેકના કામકાજને લઇ આજથી એટલે કે 24 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ક્રોસિંગ પાસેનો બંને તરફનો રસ્તો બંધ રાખવા ટ્રાફિક ડિવિઝન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક પોલીસ દ્વારા બે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા. વાહન ચાલકો કાંકરીયા શાહઆલમ જવાહર ચોક ચાર રસ્તા તરફથી મણિનગર રેલ્વે ક્રોસિંગ તરફ આવતા એલજી હોસ્પિટલથી ઝગડીયા બ્રિજ ત્યાંથી આવકાર હોલ જઈ શકશે અને ત્યાંથી ગુરુજી બ્રિજ થઈને જશોદાનગર ચાર રસ્તા હાટકેશ્વર તરફ જઈ શકશે. આ દરમિયાન ટુ-વ્હીલ અને થ્રી- વ્હીલ ચાલકો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી આગળ જઈ શકશે.


તેમજ જશોદાનગર, હરીપુરા, હાટકેશ્વર અને અનુપમ સિનેમા તરફથી આવતા વાહન ચાલકો ઝગડીયા બ્રિજ, ગુરુજી બ્રિજનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન ટુ-વ્હીલ અને થ્રી- વ્હીલ ચાલકો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી આગળ જઈ શકશે.