કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પતંગની દોરી થી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન કરી શરૂઆત

 

મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ માં પતંગની દોરી થી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે મોરબીમાં જોર સૌરથી ઉતરાયણની તૈયારી કરવામાં આવી રહી છે. એટલા જ માટે મોરબીમાં પક્ષીઓની રક્ષા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા પતંગની દોરીથી પક્ષીઓને બચવા માટે પક્ષી બચાવ અભિયાન શરૂઆત કરવામાં આવી છે.


કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારો માં કેમ્પ રાખી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવામાં આવશે જેમાં કેપિટલ માર્કેટ , રવાપર ચોકડી, બાપાસિતારામ ચોક,રવાપર રોડ, પંચાસર રોડ,હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક, મહારાણા પ્રતાપ સર્કલ,મોરબી 2 આપેલ સ્થળો ઉપર કર્તવ્ય જીવદયા કેન્દ્રના વ્યક્તિઓ દ્વારા ઘાયલ થયેલ પક્ષીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તદ ઉપરાંત સંસ્થા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે હેલ્પલાઈન નંબર : 7574885747, 7574868886 આ હેલપલાઇન 24X365 ચાલુ રહેશે .


અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

 Innovative Gujarat