મોરબી: અયોધ્યા રામમંદિરના આમંત્રણ સ્વરૂપ પધારેલ પુજીત અક્ષત કળશનું આજ રોજ તા. 7 જાન્યુઆરી 2024 નાં રોજ ડાયમંડ નગર(આમરણ) ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. જેમાં વિશાળ પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં નાની દીકરીઓ દ્વારા અક્ષત કળશનું સામૈયાં કરવામાં આવ્યા હતા અને શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોધ્યા આવેલા કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


